Archive for July, 2011
“મળેલા જીવ”
મિત્રો,
ફિલ્મોમાં આજ પર્યંત અતિ લોકપ્રિય ફિલ્મોને લઈને દાયકાઓ બાદ ફરી એ જ ફિલ્મો નવા કલાકાર , નવા દિગ્દર્શક અને એક નવા જ માહોલ સાથે ફરી બનાવવાનો વાયરો વાયો છે. દેવદાસ ,પરિણીતા, ડૉન જેવી ફિલ્મો તો હાલની જ વાત છે જ્યારે રાજશ્રી ફિલ્મની કેટલીક જુની ફિલ્મો ના નામ બદલીને નવા ઢાંચામાં ઢાળીને પણ રજૂ કરાઇ છે .જેમકે “હમ આપકે હૈ કૌન ” પ્રેમ દિવાની” એક વિવાહ એસાભી ”
૧૯૫૦થી માંડીને આજે ૨૦૧૧માં એટલે કે ૬૧ વર્ષના વ્હાણા વહી ગયા હોય અને પેઢી પણ બદલાઇ ગઈ હોય ત્યારે નાટ્ય જગતમાં આ એક નવો ઇતિહાસ સર્જાયો છે. કદાચ એવા વાચકો હશે જેમણે પન્નાલાલ પટેલ લિખીત નવલકથા ” મળેલા જીવ” વાંચી હશે અને એવી નાટ્ય પ્રેમી પેઢી અત્યારે હશે જેમણે આ નાટક જોયુ પણ હશે.ત્યારે એમને આ સંસ્મરણો વાગળવા ગમશે પણ ખરા.
“મળેલા જીવ”
માહિતી ઉપલબ્ધી અને બહાલી ::શશિકાંત નાણાવટી
{૧} શ્રી પન્નાલાલ પટેલ દ્વારા લિખિત ગુજરાતી નવલકથા “મળેલા જીવ”નુ ૧૯૫૦માં શ્રી શશિકાંત નાણાવટીએ નાટ્ય રૂપાંતર કર્યુ હતુ.. ૩-૧૨-૧૯૫૦માં જવનિકા થિયેટર દ્વારા તેની પ્રથમ ભજવણી થઈ હતી, જેનુ દિગ્દર્શન શ્રી હરકાંત શાહે કર્યુ હતું. નાટક અમદાવાદની ટેક્ષટાઇલ કોન્ફરન્સમાં ભજવાયુ અને ત્યાર બાદ સૌરાષ્ટ્રના ધાંગધ્રા ,સુરેન્દ્રનગર અને લીમડી જેવા શહેરોમાં રજૂ થયુ હતું. ડૉ. ઇન્દુભાઇ પટેલ ( કાનજી), કલા શાહ (જીવી) હરકાન્ત શાહ ( ભગત), પી ખરસાણી( ધુળિયો -હજામ) વગેરે કલાકારોએ પાત્રને ન્યાય આપ્યો હતો અને
રામકુમાર રાજપ્રિય એ સંગીત આપ્યુ હતું.
{૨} નવેમ્બર ૧૯૫૫માં ટાઉન હોલમાં શ્રી હરકાન્ત શાહના દિગ્દર્શનમાં ” રંગમંડળ” દ્વારા આ નાટકની રજૂઆત થઈ ત્યારે બોક્સ ઑફીસ પર એક નવો જ રેકોર્ડ સર્જાયો હતો.. ઇતિહાસમાં આ કદાચ પ્રથમ વાર હશે કે જેમાં નાટ્ય રસિકોએ આટલો રસ દાખવ્યો હતો..શ્રેષ્ઠ નાટ્યકર્તા જયંતિ દલાલ, હીરાલાલ ભગવતી,નિરૂભાઇ દેસાઇ જેવા અનેક વિષેજ્ઞનો આ નાટકના રિહર્સલ દરમ્યાન ઉપસ્થિત રહેતા હતા અને તેમનું માર્ગદર્શન આપતા હતા..બોમ્બે ગવર્મેન્ટ દ્વારા સંયોજીત મુંબઈ રાજ્ય નાટ્ય સ્પર્ધામાં આ નાટક ભજવાયુ ત્યારે નાટકે ૩જુ ઇનામ જીત્યુ હતુ. તેમજ ધુળીયા ઘાંયજાના પાત્રમાં પી ખરસાણીએ પણ પારિતોષિક જીત્યુ હતુ.
{૩} ત્યાર બાદ જવનિકાના નેજામાં હરકાન્ત શાહના દિગ્દર્શન-પ્રોડક્શન હેઠળ ”મળેલા જીવ ” ફરી એક વાર ભજવાયું. પ્રેમાભાઇ હૉલ , ટાઉનહૉલમાં શૉ કર્યા બાદ તેમણે અમદાવાદ-મિરઝાપુરમાં કસ્તુરભાઇ બ્લોક પાછળ ઓપન એર થ્રીડાયમશનલ થીયેટર બનાવ્યુ. ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં આ સૌથી નવતર પ્રયોગ હતો. તે સમયે કે.પી શાહ( કાનજી), કોકિલા શાહ (જીવી), એઝરા ક્રિશ્ચિયન (ભગત), બાબુ રાજા(ધુળિયો) , નરેન્દ્ર ત્રિવેદી (હીરાભાઇ) ઉપરાંત બેબી અલ્મેકર, લિના શેઠ, વિહંગીની મહેતા, જયંતી પટેલ, પ્રવીણ દવે, ઘનશ્યામ કુસુમગર વગેરે કલાકારોએ વિવિધ પાત્રો નિભાવ્યા હતા.સંગીત સંચાલક રામકુમાર રાજપ્રિય હતા. આ નાટકની ભજવણી સૌરાર્ષ્ટ્ર ,સુરત, બરોડા, નડિયાદ, બોમ્બે અને ગુજરાતના અનેક નાના શહેરોમાં થઈ.આ નાટક પ્રથમ વાર ભજવાયુ ત્યારે શ્રી પન્નાલાલ પટેલ પોંડીચેરી હ્તા.તેમણે આ નાટક જવનિકાના ઓપન એર થિયેટરમાં ૧૯૫૬ના નવેમ્બરમાં જોયુ. તેઓ એટલા તો ખુશ થઈ ગયા કે નાટકના કલાકારોને સંબોધીને કહ્યુ હતું ” અરે ભાઇ ,તમે તો મારા કાનજી અને જીવીને જીવતા કરી દીધા”.ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી બલવંતભાઇ મહેતાએ પણ પ્રેમાભાઇ હૉલમાં આ નાટક જોયુ હતુ.
૧૭મી સપ્ટેમ્બર ૧૯૬૦માં આ નાટક અમદાવાદ , બરોડા અને રાજકોટ્ના ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પરથી પણ પ્રસારિત થયુ હતું.
[૪] કેટલાક વર્ષો બાદ ફરીથી આ નાટક ભજવ્યુ રંગમ થિયેટરે (અમદાવાદ). દિગ્દર્શક હતા રમણીક જાની અને ભગવત જાની.સંગીત સંચાલક હતા રામ ચૌહાણ અને અરવિંદ જોષી. રમણિક દેસાઇ, રામ દવે ,દિનકર પંડ્યા, ભગવત જાની, પુર્ણિમા પારેખ તેમજ અન્ય કલાકારોએ પાત્ર ભજવ્યા હતા.
કલાકારો હતા- નાટ્ય જગતના અતિ લોકપ્રિય કલાકાર તેમજ ફિલ્મ અભિનેતાઅરવિંદ પંડ્યા (કાનજી), તરલા મહેતા (જીવી) , ચંપક લાલા (ભગત),
પી. ખરસાણી (ધુળિયો), પ્રતાપ ઓઝા ( હીરાભાઇ), દેવયાની દેસાઇ (નાની ડોશી) તેમજ અન્ય. ગીતકાર હતા પિનાકીન ઠાકોર, હરીન દવે અને કાંતિ અશોક.
{૬} ૧૧મી નવેમ્બર ૧૯૬૨માં સ્વ. નિરુભાઇ ત્રીવેદી કે જેમણે જવનિકાના “મળેલા જીવ”ના અનેક શૉમાં હીરાભાઇ , તેમજ જવનિકાના બીજા પણ નાટકોમાં પાત્ર ભજવ્યા હતા, તેમના સ્મ્રુતિ ફંડ નિમિત્તે આ નાટક ભજવાયું.
(૮) ફરી એક વાર ૪૨ વર્ષ બાદ ૩જી જુલાઇ ૨૦૧૧ના રોજ આ નાટક જયશંકર સુંદરી હૉલમાં કોરસના બેનરમાં ભજવાયુ. દિગ્દર્શક છે નિમિષ દેસાઇ તેમજ સંગીત સંચાલન પણ તેમણે જ સંભાળ્યુ છે. કલાકારો છે પૂજા સોની (જીવી ), શોનક વ્યાસ (કાનજી) ,પાર્થ રાવલ( ધુળિયો), પ્રકાશ જોષી (ભગત), ગોપાલ બારોટ (હીરાભાઇ), અનુપમા શુક્લ (નાની ડોશી) ઉપરાંત રાહી પંડ્યા હેતલ મહેતા ભાવેશ સુતરિયા, પ્રકાશ ભાટિયા શિવાની નાયક, ભૌમિક નાયક, આનંદ ઠક્કર, યશ મોદી, ૠતુજા પટેલ , અભય સોની, નિમિષ દેસાઇ અને અન્ય.૧૯૫૦થી ૧૯૬૯ સુધીમાં લગભગ ૧૨૩ વાર આ નાટક ભજવાયું. આ સમય દરમ્યાન ૫ કાનજી( ડૉ. ઇન્દુભાઇ પટેલ, મહેન્દ્ર પાઠક, કે.પી શાહ, અરવિંદ પંડ્યા અને અરૂણ દત્ત વ્યાસ ), ૪ જીવી ( અનુપમા સુતરિયા, કલા શાહ, કોકિલા શાહ, તરલા મહેતા), ૫ ભગત (હરકાન્ત શાહ , મોહન ઠક્કર, એઝરા ક્રિશ્ચિયન, ચંપક લાલા અને ભગવત જાની), ૩ ધુળીયા (પી ખરસાણી, બાબુ રાજા અને દિનકર પાઠક) અને ૭ નાની ડોશી ( વસુંધરા દેસાઇ, કલા શાહ, વસુમતી ,ચારુ પટેલ, દેવયાની દેસાઇ અને સાવિત્રી રાવલ) જેવા કલાકારોએ ભૂમિકા ભજવી હતી.
http://www.rajul54.wordpress.com





Recent Comments